v
ગુજરાતી
પારસી મહિલા મેડમ ભીખાઇજી કામાએ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી
હતી.
v
મેડમ
ભીખાઇજી કામાએ ઇ.સ.1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય
સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો.
v
ત્યાર
બાદ ઇ.સ.1929માં જવાહરલાલ નહેરૂ દ્વારા 31, ડિસેમ્બર 1929ના રોજ
રાવી નદીના તટ ઉપર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાંઆવ્યો હતો. જેમાં ચક્રના
સ્થાનેચરખો હતો.
v
સ્વતંત્રતા
પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન નક્કી કરવા ‘ ઝંડા સમિતિ’ ની રચના કરવામાં
આવી. ‘ ઝંડા સમિતિ ‘ ના અધ્યક્ષ
જે.બી.કૃપલાણી હતા. સ્વતંત્રતા પછી ‘ મિંગલી વેંકૈયા
‘ દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
v
પંડિત
જવાહરલાલ નહેરૂ દ્વારા 22, જુલાઇ 1947ના રોજ ચરખાના બદલે “અશોકચક્ર” વાળા નવા રાષ્ટ્રધ્વજનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો, જે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં
આવ્યો.
v
બંધારણના
અનુચ્છેદ-19(1)(A)
અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભુત અધિકાર છે.
રાષ્ટ્રધ્વજનું
માન-સન્માન જળવાઇ રહે તે માટે ભારત સરકાર દ્વારા “ ભારતીય ધ્વજ સંહિતા,2002 ” બનાવવામાં આવી છે.