સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Monday 25 June 2012

   ગુરૂ મહિમા -૩       એમ.જે. ડેરવાળીયા
                                                      જયારે ઈશ્વરે આ બ્રમ્હાંડનું નિર્માણ કર્યું ત્યારે સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહનું નામ ગુરૂ પાડ્યું. એવીજ રીતે જયારે ઈશ્વરે આ જીવસ્રુષ્ટિ નું  નિર્માણ કર્યું, ત્યારે દુનિયા પર મહાન વ્યક્તિ તરીકે ગુરુને સ્થાન આપ્યું.
                              પ્રાચીન સમયમાં મહાન થયેલ વ્યક્તીઓંની જીવનગાથા તપાસતા એ વાત સ્પષ્ટ થાય છે કે મહાન બનેલી વ્યક્તીઓંના જીવનમાં કોઈને કોઈ ગુરુનો સિહફાળો અવશ્ય રહેલો છે.એકલવ્ય વિષે આપણે ક્યાં નથી જાણતા?
                               એકલવ્ય ગુરુની પ્રતિમાના પ્રતાપથી જો ઇતિહાસના પાના પર અમર થઇ જતો હોય તો આપણી સામે તો ગુરુની જીવતી જાગતી પ્રતિમાઓ છે.તેથી આપણે ઇતિહાસના પાના પર અમર તો શું ખુદ ઈશ્વર પણ બની જઈએ.
                               ચાણક્ય કહે છે-
"ગુરૂ કભી સાધારણ નહિ હોતા,
અર્થાત શિક્ષક કભી સાધારણ નહિ હોતા,
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ."
                               સૃષ્ટિ પર પ્રલય લાવવાનું કાર્ય તો ભગવાન શંકરનું છે. અર્થાત આપના ગુરૂ શંકર સમાન છે.  સૃષ્ટિપર નિર્માણ કરવાનું કાર્ય ભગવાન બ્રમ્હાનું છે. અર્થાત આપના ગુરૂ બ્રમ્હા સમાન છે.તેથી આપના ગુરુને બ્રમ્હા અને શંકર કરતાં જરા પણ કમ ન કહી શકાય.
                                 અંતે ગુરૂ વિષે હું એટલું જ કહીશ -
" ચાંદ અધૂરા હૈ...... સિતારો કે બીના,
ગુલશન  અધૂરા હૈ.....બહારો કે બીના,
સમુન્દર અધૂરા હૈ.......કિનારો કે બીના,
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના.
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના."
   

1 comment: